સુધાપાન શ્રી વલ્લભ સાખી તણું-૪

સુધાપાન શ્રી વલ્લભ સાખી તણું૪                                                           

 

દેવિ દેવ આરાધિકે, ભૂલ્યો સબ સંસાર

      શ્રી વલ્લભ નામ નૌકા બિના, કહો કો ઉતર્યો પાર

 શ્રી વલ્લભ કહો કો ઉતર્યો પાર

પ્રિય સખી

કુશળ હશે. તને ખબર છે કે જીવોના ઉધ્ધાર માટે જ્યારે શ્રી પરમ પ્રભુએ જન્મ લેવાનું નક્કી કર્યું ત્યારે પ્રભુનાં લીલા કાર્યમાં ભાગ લઇ તેમના સહાયક બનવાનાં ઉદેશ્યથી સર્વે દેવી દેવતાઓએ પ્રભુનાં અંશાવતાર તરીકે જન્મ લીધો. અંશાવતાર એટલે કે પ્રભુના રજઅંશના હજારો ટુકડા કર્યા બાદનો એક ટુકડો, પણ પ્રભુના જ પૂર્ણ અવતાર રૂપ તે શ્રી વલ્લભ છે. તેથી શ્રી વલ્લભની અંદર જ સંસારનાં સમસ્ત દેવી દેવતાઓ સમાઇ જાય છે, તે તેત્રીસ કરોડ દેવતાઓ શ્રી વલ્લભનો સ્પર્શ પામવા માટે તેમના રોમ સ્વરૂપ બન્યાં છે. શ્રી વલ્લભ એ શ્રીજી બાવાનું જ બીજું સ્વરૂપ છે. તેથી અન્ય દેવી દેવતાઓને ભજવાની શી જરૂર છે? કારણકે પરબ્રહ્મનાં અધૂરા એવા અન્ય દેવી દેવતાઓને પુજવા જતાં આપણે શ્રી વલ્લભ નામનો સાચો માર્ગ ભૂલીને ખોટા માર્ગમાં પહોંચી જઇએ છીએ. શ્રી વલ્લભ એ સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણનાં સંપૂર્ણ આવિર્ભાવ રૂપ છે. તેથી ચાલ આજે આપણે પણ કૃષ્ણ કેડીનાં માર્ગે થી શ્રી વલ્લભ તણી નાવ પાસે જઇએ કારણકે ફક્ત શ્રી વલ્લભનું જ નામ એવું છે કે જે જીવોનાં દોષને ન જોતા આપણને આ સંસાર સાગર પાર કરાવે છે.શ્રી વલ્લભની આપણા પર કૃપા તો અપાર છે પણ શું તે આપણે સમજી શકીયે  છીએ?? ચાલ ત્યારે રજા લઉં શ્રી વલ્લભની અપરંપાર કૃપાનો તું આસ્વાદ લે ત્યાં સુધીમાં હું પાંચમી ટુંક સાથે  હાજર થઇ જઇશ. આપણે આજ કૃષ્ણ કેડી પર ફરી મળીએ ત્યાં સુધી તને મારા જય શ્રી કૃષ્ણ.

પુષ્ટિપ્રસાદ ૨૦૧૧ માં પ્રકાશિત

pushtiprasad.com 

કોપી રાઇટ

ISBN-978-1500126087

 

                                                                            પૂર્વી મલકાણ મોદીની સ્નેહયાદ

૧૦/૨૦/૨૦૧૦   

 

 

Posted on સપ્ટેમ્બર 23, 2013, in પારિજાતનાં ફૂલ. Bookmark the permalink. Leave a comment.

Leave a comment