આપણી કહેવત ઉક્તિઓ
૧) ઘઉં ખાવાથી શરીર ફૂલે, જવ ખાવાથી ઝૂલે
મગ ને ચોખા ના ભૂલે તો બુધ્ધિના બારણાં ખૂલે
૨) ઘઉંને તો પરદેશી જાણું, જવ તો છે દેશી ખાણું
મગની દાળને ચોખા મળે તો, લાંબુ જીવી જાણું
૩) ગાયના ઘીમાં રસોઈ રાંધો, તો શરીરનો મજબૂત બાંધો
તલના તેલની માલિશથી દુઃખે નહીં એકેય સાંધો
૪) ગાયનું ઘી પીળું સોનું, મલાઈનું ઘી ચાંદી
વનસ્પતિ ઘી ખાઈને, આખી દુનિયા માંદી
૫) રસોઈ પિત્તળમાં, ને પાણી ઊકળે તાંબે
ભોજન કરવું કાંસામાં , તો જીવન માણે લાંબુ
૬) ઘર ઘરમાં રોગના ખાટલા, ને દવાખાનામાં બાટલા
ફ્રિજના ઠંડા પાણી પીને, ભૂલી ગયા માટલાં.
૭) પૂર્વ ઓશીકે વિદ્યા મળે, દક્ષિણે ધન કમાય
પશ્ચિમે ચિંતા ને ઉત્તરે હાનિ કે મૃત્યુ થાય
૮) ઉંધો સુવે અભાગિયો, છતો સુવે રોગી
ડાબે તો સૌ કોઈ સૂવે, જમણે સૂવે યોગી.
૯) આહાર એજ ઔષધ છે, ત્યાં દવાનું શું કામ,
આહાર વિહાર અજ્ઞાનથી, દવાખાના છે જામ.
પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com
Posted on ઓગસ્ટ 30, 2017, in પારિજાતનાં ફૂલ. Bookmark the permalink. Leave a comment.
Leave a comment
Comments 0